શ્રી સતવારા જ્ઞાતિ મંડળ, અમદાવાદ
રજી.નં. – એ-૩૧૯૨ તા. ૧૭-૦૨-૧૯૯૨
સરનામું – ઓફીસ નં.-૧, સતવારા ભવન, સિધ્ધેશ્વરી શોપીંગ સામે, વિરાટનગર – મનમોહન રોડ, ઓઢવ, અમદાવાદ
શ્રી સતવારા જ્ઞાતિ મંડળ ના મુખ્ય ઉદ્દેશો
- અમદાવાદમાં વસવાટ કરતા જ્ઞાતિ જનોનું ડીજીટલ વસ્તી પત્રક બનાવવું
- સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ દ્વારા પ્રોત્સાહીત કરવા.
- સ્નેહ મિલન તથા સંમેલનો દ્વારા સમાજને એક બીજા થી વધુ નજીક લાવવાના પ્રયત્નો કરવા.
- હોસ્પીટલો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરી સમાજ ને લાભ અપાવવા.
- સમાજ નું એક બીઝનેશ ગ્રુપ બનાવવું અને સામાજ ને આર્થીક સધ્ધરતા તરફ લઇ જવાો.
- કન્યા કેળવણીના કાર્યક્રમો કરવા.
- દરેક પરિવારમાં સંસ્કારનું સિંચન થાય તેવા આધ્યાત્મિક કાર્યક્રમો કરવા.
- મહીલા ગૃહ ઉધોગોને પ્રોત્સાહન આપવું.
- શૈક્ષણીક માર્ગદર્શન તથા કોચીંગ ક્લાસ કરવા.
- જીવન સાથી પસંદગી મેળા નું આયોજન કરવું.
સર્વે અમદાવાદમાં વસવાટ કરતા સતવારા જ્ઞાતિજનો ને જણાવવાનું કે શ્રી સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા ઉપરોક્ત ઉદેશો ને ધ્યાનમાં રાખી ને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો અમદાવાદમાં વસવાટ કરતા સતવારા સમાજ ના દરેક જ્ઞાતિજનો શ્રી સતવારા જ્ઞાતિ મંડળ, અમદાવાદ ના આજીવન સભ્ય થઇ જવા વિનંતી.
શ્રી સતવારા જ્ઞાતિ મંડળ અમદાવાદ સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ – ૨૦૨૫
સ્થળ – શ્યામાપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમ, RTO – વસ્ત્રાલ રોડ, રામોલ, અમદાવાદ.
- માર્કશીટ સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૦-૧૧-૨૦૨૫ છે.
- ભોજનપાસ મેળવવાની છેલ્લી તારીખ ૨૨-૧૧-૨૦૨૫ છે.
- ભોજન પાસ ૫ વર્ષ થી ઉપરના વ્યક્તિ દીઠ રૂ. ૧૦૦ રાખેલ છે જે છેલ્લી તારીખ પહેલા આપના વિસ્તારના કાર્યકર પાસે થી મેળવી લેવા.
- ઇનામ વિતરણમાં ભાગ લેનાર વિધાર્થીના વાલી મંડળના આજીવન સભ્ય હોવા જરૂરી છે.
- ધો. ૧ થી ૧૨ સુધી દરેક ધોરણના, સ્નાતક અને અનુ સ્નાતક સ્તરના દરેક વિધાર્થીઓ ભાગ લઇ શકશે. ધોરણ ૧૨ પછીના દરેક સરકાર માન્ય એક વર્ષથી ઉપરના અભ્યાસક્રમોની શાખાના ડીપ્લોમા, ડીગ્રી કોર્ષના ફાઇનલ વર્ષની ઉતીર્ણ થયાની માર્કશીટ જ સ્વીકારવામાં આવશે
- માર્કશીટ ઉપર આજીવન સભ્ય નંબર, સભ્યનું નામ, અને મોબાઇલ નંબર ફરજીયાત લખવો. માર્કશીટ સ્પષ્ટ વંચાય તેવી હોવી જોઇએ.
- સને વર્ષ ૨૦૨૪-૨૫ ના શૈક્ષણિક વર્ષમાં પ્રાથમીક વિભાગમાં ૭૦ ટકાથી વધુ તથા માધ્યમિક તેમજ અન્ય વિભાગમાં ૬૦ ટકાથી વધુ માર્કસ મેળવનાર વિધાર્થીઓમાંથી પહેલા,બીજા તથા ત્રીજા ક્રમે આવનારનું બહુમાન કરવામાં આવશે.
- સાંસ્કૃતિ કાર્યક્રમમાં જે કોઇ સભ્યના બાળકો ભાગ લેવા ઇચ્છતા હોય તો તેમણે બાળકોના નામ, કાર્યક્રમ તેમજ સમયની વિગત સાથેની લેખીત જાણ મંડળના કાર્યાલય ઉપર તા. ૨૨-૧૧-૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે.
- ઇનામ મેળવવમા પાત્ર વિધાર્થીઓએ રૂબરૂ ઇનામ લેવા આવવાનું રહેશે. હાજર રહેશે તે જ વિધાર્થીને ઇનામ આપવામાં આવશે. ઇનામ મેળવવા અંગેની કોઇપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
- શ્રી સતવારા જ્ઞાતિ મંડળ, અમદાવાદમાં આજીવન સભ્ય ફી ૧,૦૦૦ ભરી મંડળ ને સહકાર આપવા વિનંતી.
Photo Gallery












